Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

અમદાવાદમાં વૈષ્ણવ મહોત્સવનો દિવ્ય પ્રારંભ :વિશ્વભરની હવેલીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

-દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં દેશ-વિદેશથી પધારેલા વૈષ્ણવ પ્રતિનિધિઓને વૈષ્ણવ રત્ન,વૈષ્ણવશ્રી,અને સ્મૃતિચિન્હથી સન્માનિત કરાયા

 

અમદાવાદ:અમદાવાદમાં વૈષ્ણવ મહોત્સવનો દિવ્ય પ્રારંભ થયો છે મહોત્સવના પ્રારંભે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વભરની હવેલીઓથી પ્રતિનિધિઓ અમદાવાદ ખાતે યોજાયેલા ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં પધાર્યા હતા 

   કાર્યક્રમમાં સમગ્ર  વિશ્વમાં વસવાટ કરતા વૈષ્ણવ સમાજના લોકોને ઓન-લાઈન પુષ્ટિમાર્ગના સાહિત્ય પણ અપાશે તેમજ  દેશ-વિદેશથી આવેલા વૈષ્ણવ પ્રતિનિધિઓને વૈષ્ણવરત્ન,વૈષ્ણવશ્રી તેમજ સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા 

અમદાવાદને આંગણે યોજાયેલા કાર્યક્રમમાં પુષ્ટિમાર્ગના વૈષ્ણવાચાર્ય  દ્વારકેશલાલજી  મહારાજની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમનું આયોજન થયેલ હતું સાથોસાથ સાંસ્કૃતિક મહોત્સવ પણ યોજાયો હતો. 
  
નવાવર્ષના પ્રારંભે 1લી જાન્યુઆરીના રોજ શોભાયાત્રાનું 12.30 કલાકે છપ્પનભોગ શોભાયાત્રા શ્રીગિરિરાજ ધામથી કથા સ્થળ સુધી યોજાઈ હતી બાદ ભવ્ય છપ્પનભોગ મનોરથનું આયોજન કરાયું હતું

(10:16 pm IST)