Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

આ શો મારા માટે એક શાનદાર અવસરઃ ગોૈરવ

ટીવી શો પુણ્યશ્લોક અહિલ્યાબાઇ દર્શકોને ખુબ પસંદ પડ્યો છે. આ શોમાં આ શોમાં અહિલ્યાબાઇ હોલકરની પ્રતિષ્ઠીત અને દમદાર કહાનીઓ દેખાડવામાં આવી રહી છે. અઢારમી સદીના સામાજીક નિયમોને તેમણે પડકાર આપ્યો હતો. આ શોમાં સાત આઠ વર્ષનો લીપ આવ્યો છે અને યુવા અધ્યાયની શરૂઆત થઇ છે. લીપ પછી અહિલ્યાના પતિ ખંડેરાવ હોલ્કરના યુવા પાત્ર માટે અભિનેતા ગોૈરવ અમલાણીની પસંદગી થઇ છે. ગોૈરવે માત્ર ટીવી પરદે નહિ થિએટરમાં પણ ખુબ નામના મેળવી છે. ત્યારે તેને આ રોલ મળતાં તે અત્યંત ખુશ છે. ગોૈરવ કહે છે ખંડેરાવ હોલ્કરની ભુમિકા નિભાવવી મારા માટે એક શાનદાર અવસર છે. હું પોતે આ શોનો ખુબ મોટો ચાહક રહ્યો છું, હવે આ શોમાં કામ કરવાની તક મળી છે. અનેક પ્રતિભાશાળી કલાકારો સાથે મને કામ કરવા મળી રહ્યું છે. ગોૈરવે બાળ કલાકાર અદિતી અને ક્રિશના પણ ભરપુર વખાણ કર્યા હતાં.

(10:16 am IST)