Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પીઢ અભિનેતા અન્નુ કપૂરને હોસ્પિટલમાંથી મળી રજા : તબિયત સ્થિર

મુંબઈ: દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂરને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છાતીમાં તકલીફની ફરિયાદ બાદ 26 જાન્યુઆરીએ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજી ટીમ દ્વારા સારવાર કર્યા પછી, 66 વર્ષીય અભિનેતાને રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. ડો. અજય સ્વરૂપ, ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ), સર ગંગારામ હોસ્પિટલે જણાવ્યું હતું કે, “શ્રી અન્નુ મદન લાલ કપૂર કે જેમને 26 જાન્યુઆરીની સવારે છાતીમાં તકલીફની ફરિયાદ સાથે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને આજે રજા આપવામાં આવી હતી. કાર્ડિયોલોજીની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી, જેમાં ડૉ. જેપીએસ સાહની, ડૉ. રજનીશ જૈન, ડૉ. રાજીવ પાસી, ડૉ. બી.એસ. વિવેક અને ડૉ. સુશાંત વટ્ટલનો સમાવેશ થાય છે." ડૉ.જૈને કહ્યું, "અન્નુ કપૂરની હાલત સ્થિર છે."

(7:24 pm IST)