Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મારી પાસે બીજો વિકલ્‍પ નથી : સંજય

સંજય મિશ્રાએ ૧૯૯૧માં ટીવી પરદે શરૂઆત કર્યા પછી ૧૯૯૫માં બોલીવૂડમાં એન્‍ટ્રી કરી હતી. અહિ તેણે ખુબ મહેનતથી ઓળખ બનાવી છે. પરદા પર સોૈને હસાવતાં આ કલાકારે થોડા વર્ષ પહેલા ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. પરિસ્‍થિતિ અને સંજોગોને કારણે આ નિર્ણય બદલવો પડયો હતો. તે એક પછી એક અનેક ફિલ્‍મો કરતા રહ્યા છે. હવે શાંતિપુર્ણ જીવન જીવવા અધિરા બન્‍યા છે. તે કહે છે એક જ પ્રકારનું જીવન જીવીને કંટાળી ગયો છું. મને ઇચ્‍છા થાય છે કે એક ચાની દૂકાન ખોલીને આરામથી જીવન પસાર કરું. પણ પરિવારની જવાબદારી અને સંજોગો જોતાં  વિચાર આવ્‍યો કે જે ચાલે છે તે ચાલવા દઉં.  મારી પાસે બીજો કોઇ વિકલ્‍પ પણ નથી. હાલમાં હું એક જ પ્રકારનું નિરસ જીવન જીવી રહ્યો છું. મારા ચાહકોને કહીશ કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે કે હું મારી ઇચ્‍છા મુજબ જીવન જીવી શકું.

(10:52 am IST)