Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન: સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન થયું છે. બલવિંદર સફરીએ 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું. બલવિંદર સફરી છેલ્લા ઘણા દિવસોથી હ્રદયની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેની ત્રણ સર્જરી પણ થઈ અને તે પછી તે સ્વસ્થ થવા લાગ્યો. પરંતુ તે જીવનની લડાઈ હારી ગયો. સેલેબ્સ અને ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

(7:31 pm IST)