Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

નરગિસ દત્તની પોૈત્રી ત્રિશલા ફિલ્‍મોથી દૂર રહી વિદેશમાં જીવી રહી છે અલગ જ જિંદગી

ત્રિશલા દત્ત સોશિયલ મિડીયા પર સતત સક્રિયઃ લોકો તેને દાદી જેવી કહે છેઃ બોયફ્રેન્‍ડને ગુમાવતાં આઘાતમાં સરકી જતાં તબિબની મદદ લીધી હતી

મુંબઇ તા. ૨૭: નરગિસ દત્ત તેમના સમયના જબરદસ્‍ત અભિનેત્રી હતાં. તેમણે એક એકથી ચઢીયાતી હિટ ફિલ્‍મો આપી છે. એ પછી અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા હતાં. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્‍મ તલાશ-એ-હક્કથી કારકિર્દી શરૂ કરી હતી. કોલકત્તા પヘમિ બંગાળમાં જન્‍મેલા નરગિસે ૧૯૫૭માં ફિલ્‍મ મધર ઇન્‍ડિયા માટે એકેડેમી એવોર્ડ મેળવ્‍યો હતો અને ફિલ્‍મફેર પુરષ્‍કાર પણ મળ્‍યો હતો. ફિલ્‍મ રાત અને દિન માટે રાષ્‍ટ્રીય પુરષ્‍કારથી પણ સન્‍માનિત કરાયા હતાં. નરગિસ હવે આ દુનિયામાં નથી. પણ તેમના પરિવારજનો અને બાળકો અલગ અલગ ક્ષેત્રમાં નામના ધરાવે છે. નરગિસની ખુબસુરત સ્‍ટાઇલીશ પોૈત્રી ત્રિશલા દત્ત પણ મોટી થઇ ગઇ છે. લોકો કહે છે ત્રિશલા તેના દાદી નરગિસ દત્ત પર ગઇ છે.
સંજય દત્તની દિકરી ત્રિશાલ ઇંસ્‍ટાગ્રામ પર મેન્‍ટલ હેલ્‍થ, લાઇફ સ્‍ટાઇલ અને ફેશન સંબંધીત પોસ્‍ટ આપતી રહે છે. તે સંજય અને ઋચા શર્માની દિકરી છે અને યુએસમાં રહે છે. તેની પ્રોફાઇલ પર પિતા સંજય દત્ત સાથેની અનેક તસ્‍વીરો છે. ત્રિશલા સોશિયલ મિડીયા પર પોતાની રિલેશનશીપની વાતો પણ કરતી રહે છે. ૨૦૧૯માં બોયફ્રેન્‍ડને ગુમાવ્‍યો હતો. ઇન્‍સ્‍ટાગ્રામ લાઇવ ચેટ પર તેણે કહ્યું હતું કે બોયફ્રેન્‍ડના મૃત્‍યુના આઘાતમાંથી બહાર આવવા ડોક્‍ટરની મદદ લેવી પડી હતી. ત્રિશલા દત્ત ઇંસ્‍ટાગ્રામ પર સતત સક્રિય રહે છે અને તસ્‍વીરો, વિડીયો પોસ્‍ટ કરતી રહે છે. જેમાં તેનો ગ્‍લેમરસ અંદાજ જોવા મળે છે. બોયફ્રેન્‍ડ ગુમાવ્‍યા પછી તે ડિપ્રેશનમાં જતી રહી હતી. હવે તે આઘાતમાંથી બહાર આવી ગઇ છે. તે કહે છે તેના વગર હું નિર્જીવ જેવી છું, પણ મને ખબર છે કે હવે હું સારી થઇ રહી છું.

 

(10:44 am IST)