Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોપ્યુલર સિરીયલ 'તારક મહેતા'માં બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ શો છોડી દીધાની અફવા

મુંબઈ,તા.ર૪:  બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન જાતિસૂચક શબ્દનો પ્રયોગ કરીને ચર્ચામાં આવી હતી અને તેના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ફરિયાદ પણ થઇ હતી. જે બાદ તે તારક મહેતા...માં દેખાઇ નથી. ફેન્સ ક્યાસ લગાવી રહ્યાં છે કે તેણે શો છોડી દીધો છે.

 સમગ્ર ટીમ જ્યારે દમણમાં મિશન કાલા કૌઆ શૂટ કરી રહી હતી ત્યારે મુનમુન તેનો પાર્ટ નહોતી. વિવાદમાં સપડાયા બાદથી મુનમુન શોના સેટ પર આવી નથી અને તેણે કોઇ શૂટ પણ કર્યુ નથી.

ઇન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે મુનમુન હવે શો છોડી દેશે પરંતુ પ્રોડકશન હાઉસે કન્ફર્મ કર્યુ છે કે મુનમુન શો છોડવાની નથી. અસિત કુમાર મોદીએ આ વાતની પુષ્ટી કરી છે. શોના બધા પાત્રો એટલા ફેમસ થઇ ગયા છે કે દરેક કેરેકટરના અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તેને જાણવા માટે ફેન્સ તત્પર બન્યા છે.

મુનમુન દત્તા એટલે કે બબિતાજી જે થોડા સમય પહેલા એક જાતિ માટે બોલવા પર ચર્ચામાં આવી હતી તેણે મહત્વનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેના બોયફ્રેન્ડે તેની સાથે મારપીટ કરી હતી. વર્ષ ૨૦૦૮માં જ્યારે મુનમુન એટલી ફેમસ નહોતી પરંતુ ચર્ચામાં રહેતી હતી. ત્યારે એકટર અરમાન કોહલી સાથે તે રિલેશનશીપમાં હતી. વેલેન્ટાઇન્સ ડે પર તેના બોયફ્રેન્ડે એકટ્રેસ સાથે મારપીટ કરી હતી. બંનેની રિલેશનશીપ શરૂ થાય તે પહેલા જ બ્રેકઅપ થઇ ગયુ હતુ.  વેલેન્ટાઇન્સ ડે પર તેના બોયફ્રેન્ડે એકટ્રેસ સાથે મારપીટ કરી હતી, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને બાદમાં કોર્ટ સુધી. પોતાના આવા બિહેવિયર માટે અરમાને માફી પણ માંગી લીધી હતી અને ફાઇન ભરવો પડ્યો હતો.

(2:59 pm IST)