Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

મેવાડનો શાહી પરિવાર પદ્માવતીનો કરી શકે છે Review, 27 ડિસેમ્બરે થઇ શકે છે મોટી ઘોષણા

મેવાડ, સતત વિવાદામાં રહેલી ફિલ્મ પદ્માવતીને રિલીઝ કરવા માટે કવાયત શરૂ થઇ ગઇ છે. પહેલા આ ફિલ્મે 1 ડિસેમ્બરે રિલીઝ કરવાની હતી. પરંતુ કરણી સેનાના સતત વિરોધના કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 27 ડિસેમ્બરે મુંબઇમાં ફિલ્મની સ્પેશ્યિલ સ્ક્રીનીંગ કરી શકાય છે. સ્ક્રીનીંગમાં મેવાડના શાહી પરિવારને ફિલ્મ બતાવવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના પ્રમુખ પ્રસૂન જોશીએ મેવાડ પરિવારના વિશ્વરાજ સિંહને પદ્માવતી જોવા માટે આમંત્રણ મોકલ્યુ છે. અનેક રાજપૂત સંગઠનનો આરોપ છે કે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ ઐતિહાસિક તથ્યોની સાતે છેડતી કરી છે. જેના કારણે ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દીપિકા પાદુકોણ, શાહીદ કપૂર અને રણવીરસિંહ નીભાવી રહ્યા છે. દીપિકા ફિલ્મમાં રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી રહી છે. જેના કારણે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ ચેરમેન પ્રસુન જોશીએ પદ્માવતીના વંશજ અને મેવાડના પૂર્વ શાહી પરિવારના સદસ્ય વિશ્વરાજ સિંહ મેવાડને કમિટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

(10:45 pm IST)