Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સતર વર્ષ પહેલાની લવ સ્ટોરીને ફરી ટીવી પરદે લાવશે એકતા

એકતા કપૂર ટીવી પરદાની કવીન તરીકે ઓળખાય છે. તે એક એકથી ચઢીયાતી સિરીયલો આપતી રહે છે. તેના શોમાં કામ કરતાં કલાકારો રાતોરાત ઘર-ઘરમાં જાણીતા બની જાય છે. હાલમાં જ એકતાએ એક પોસ્ટ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે સતર વર્ષ પહેલા એક લવ સ્ટોરી મેં ટીવી પરદે આપી હતી. આ કહાનીને ફરીથી પરદે લાવવાની ઇચ્છા છે. એકતાએ કહ્યું હતું કે મેં મારા તૂટેલા દિલ સાથે ૨૦૦૧માં સિરીયલ બનાવી હતી, સતર વર્ષ પછી આ અનુભવને ફરીથી રિબૂટ કરવા ઇચ્છુ છું. હું ફરીથી એક લવ સ્ટોરી લાવીશ, જેણે તે વખતે સતત નવ વર્ષ સુધી ટીવી પર દર્શકોએ નિહાળી હતી. એકતાની કસોૈટી જિંદગી કી સિરીયલ ફરીથી કયારે બનશે અને કોણ-કોણ ચહેરા હશે? તે હવે નક્કી થશે.

(9:48 am IST)