Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કૃશલ આહુજાનું સપનુ સાકાર થયું

ટીવી પરદે વધુ એક નવો શો આવ્યો છે. ઝી ટીવી પર ટૂંક સમયમાં શરૂ થનાર સિરિયલ 'રિશ્તો કા માંઝા' દ્વારા  કૃશલ આહુજા ટીવી પરદે આવી રહ્યો છે. તે કહે છે આ મારા માટે સપનુ પુરૂ થવા સમાન છે. શોમાં આંચલ ગોસ્વામી પણ મુખ્ય ભુમિકામાં છે. તે દિયાનો રોલ ભજવતી દેખાશે. સિરિયલમાં અર્જુન અને દિયાની લવ સ્ટોરી જોવા મળવાની છે. દિયા બંગાળી યુવતીનું પાત્ર ભજવશે. અર્જુન એક મારવાડી વેપારી પરિવારનો દિકરો છે. તેની કારકિર્દી પર કૌભાંડનો દાગ લાગતાં તેને કુટુંબ તરફથી કોઇ સહકાર મળતો નથી. આ સમયે દિયા તેને સાથ આપે છે. કૃશલ કહે છે અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારથી હિન્દી ટીવી પરદે એન્ટ્રી થવાની રાહમાં હતો. બંગાળી ટીવીમાં રોલ કર્યા પછી અંતે મને હિન્દી સિરીયલ મળી જતાં સપનુ સાકાર થયું છે. અર્જુનનું પાત્ર અલગ છે. તે પડકારજનક હોવા સાથે અનુભવ આપનારું પણ બની રહેશે. આ શોનું શૂટિંગ બંગાળથી શરૂ થઇ ગયું છે.  કૃશલ પોતાના અર્જુનના પાત્ર સાથે ન્યાય કરી શકશે તેવો તેને વિશ્વાસ છે.

(10:15 am IST)