Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બોલિવૂડના અભિનેતા-કોરિયોગ્રાફર પ્રભુદેવા પત્‍ની સાથે છૂટાછેડા બાદ હવે ભત્રીજી સાથે લગ્ન કરે તેવી ચર્ચાએ જોર પકડયુ

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કોરિયોગ્રાફર પ્રભુ દેવાપોતાના ડાન્સ સાથે-સાથે પોતાની અંગત જીંદગીના લીધે પણ ચર્ચામાં રહે છે. પરંતુ તે ફિલ્મોમાં જેટલા સફળ રહ્યા છે, એટલા જ અંગત જીંદગીમાં ન હતા. પત્ની રામલતા સાથે છુટાછેડા લીધા બાદ તેમના સંબંધીની ચર્ચાઓ સાઉથની ઘણી અભિનેત્રીઓ સાથે થઇ.

ભત્રીજી સાથે સંબંધોની થઇ રહી છે ચર્ચા

હવે પોતાની ભત્રીજી સાથે સંબંધોના લીધે ચર્ચામાં છે. જોકે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. એવા સમાચાર છે કે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે  લગન કરી શકે છે.

વર્ષ 2011માં પ્રભુ દેવાની પત્ની રામલત્તા સાથે છુટાછેડા થયા હતા. તે દિવસોમાં તેમનું નામ અભિનેત્રી નયનતારાસાથે જોડાયેલું હતું. આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહી.

ઇ-ટાઇમ્સના સમાચાર અનુસાર હવે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે જલદી જ લગ્ન કરી શકે છે. જોકે પ્રભુ દેવા તરફથી આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી.

હાલમાં પ્રભુ દેવા સલમાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં વ્યસ્ત છે. તે આ ફિલ્મના નિર્દેશક છે.

(4:32 pm IST)