Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

લક્ષ્મીનું પાત્ર તદ્દન અલગ જ છેઃ ઐશ્વર્યા

એકતા કપૂરનો નવો શો 'ભાગ્ય લક્ષ્મી' ચર્ચામાં છે. આ શોમાં ઐશ્વર્યા ખરે અને રોહિત સુચંતી મુખ્ય ભુમિકામાં છે.  ઝીટીવી પર આ શો સોમથી શનિ રાતે સાડાઆઠ વાગ્યે દર્શાવવાનું નક્કી થયું છે. આ શોમાં લોકોની સાથે સારું વર્તન કરવા વિશે ધ્યાન કેન્દ્રીત કરાયું છે.  એકતાએ કહ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી જેટલાં પણ પાત્રો પર કામ કર્યું છે એમાં લક્ષ્મી એકદમ પ્યોર છે. એનામાં ઘણી નેકી છુપાયેલી છે. માનવી તરીકે આપણે છેલ્લા થોડા સમયથી ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ અને એ દરમ્યાન લોકોએ ખુબ સારા લોકસેવાના કામો કર્યા છે. આ શોમાં લક્ષ્મી પણ સતત બીજાને મદદરૂપ થતી રહે છે. લક્ષ્મીના પાત્ર માટે ઐશ્વર્યા અને રિશીના પાત્ર માટે રોહિત અમને પરફેકટ લાગ્યા છે.  ઐશ્વર્યાએ કહ્યું કે લક્ષ્મીનું પાત્ર ભજવવા માટે હું ખૂબ ઉત્સાહી છું. મેં અત્યાર સુધી ભજવેલા પાત્રમાં લક્ષ્મી એકદમ અલગ પાત્ર છે. દર્શકોને આ પાત્ર કેવું લાગે છે એ જોવા માટે હું ખૂબ આતુર છું.

(10:06 am IST)