Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ફિલ્મો માટે એકડે એકથી શરૂઆત કરવી પડી હતીઃ રાધિકા

ટીવી પરદેથી ફિલ્મોમાં પહોંચેલા અનેક કલાકારો સફળ થયા છે તો અનેકને નિષ્ફળતા પણ મળી છે અને તેઓ ફરીથી ટીવી પરદે કાર્યરત થયા છે. રાધિકા મદાન એવી અભિનેત્રી છે જે ટીવી શો મેરી આશિકી તુમ સે હી સહિતમાં કામ કર્યા પછી ફિલ્મોમાં પહોંચી છે. તેણે મર્દ કો દર્દ નહિ હોતા, પટાખા, અંગ્રેજી મિડીયમ સહિતની ફિલ્મો કરી છે. રાધિકા કહે છે શાહરૂખ ખાન, વિદ્યા બાલન, સુશાંતસિંહ રાજપૂત પાસેથી મને પ્રેણા મળી છે. કારણ કે આ બધા પહેલા ટીવી પરદે કામ કરી ચુકયા હતાં અને પછી ફિલ્મી પરદે આવ્યા હતાં. રાધિકાએ આગળ કહ્યું હતું કે ટીવી પરદે મારું નામ હતું, આમ છતાં ફિલ્મોમાં એન્ટ્રી માટે મારે એકડે એકથી શરૂઆત કરવી પડી છે. મારે અનેક ઓડિશન આપવા પડ્યા હતાં. મને નેગેટિવ કોમેન્ટસ પણ સતત સંભળાવાતી હતી. પણ હું મારા સપનાઓ પર જ ધ્યાન કેન્દ્રીત કરી આગળ વધતી હતી. મને લાગે છે કે તમે કયા ફિલ્ડમાંથી આવ્યા એ મહત્વનું નથી, તમારું કામ વધુ મહત્વનું હોય છે.

(10:21 am IST)