Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઓટીટી પર આવી શકે છે અજયની ફિલ્‍મ

અભિનેતા અજય દેવગણની ફિલ્‍મ રનવે-૩૪ રિલીઝ થવા માટે તૈયાર છે. આ વચ્‍ચે તેની અન્‍ય એક ફિલ્‍મ પણ રિલીઝ થવાની છે. ‘નામ' એ અજય દેવગનની મુખ્‍ય ભુમિકા ધરાવતી સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્‍મ છે. આ ફિલ્‍મ ઓટીટી પર અથવા તો સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકે છે. હલચલ, પ્‍યાર તો હોના હી થા અને દિવાનગી જેવી ફિલ્‍મો અજયએ નિર્દેશક અનીસ બાઝમી સાથે કરી હતી. નામ ફિલ્‍મ પણ અનીસે જ બનાવી છે. આ ફિલ્‍મમાં એક વ્‍યક્‍તિ તેની યાદશક્‍તિ ખોઈ બેસે છે અને એ પોતાની ઓળખની શોધમાં નીકળે છે. આ ફિલ્‍મનું શૂટિંગ સ્‍વિટ્‍ઝરલેન્‍ડ અને મુંબઈમાં કરવામાં આવ્‍યું છે. ગુજરાતના રિયલ એસ્‍ટેટ મોગલ અને બૉલીવુડ પ્રોડ્‍યુસર અનિલ રૂગટાએ આ ફિલ્‍મના હક ખરીદી લીધા છે અને તેના બેનર હેઠળ ફિલ્‍મને રિલીઝ કરવામાં આવશે. અઢાર વર્ષ પહેલાની આ ફિલ્‍મમાં સમીરા રેડ્ડી અને ભુમિકા ચાવલા પણ મુખ્‍ય ભુમિકામાં છે.

 

(10:59 am IST)