-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
રાજકોટ ભાજપ પ્રેસ મિડીયા અગ્રણી અરૂણ નિર્મળનો આજે જન્મદિવસ
૬૫ કિલો ચણ પક્ષીઓને અર્પણ કરી જન્મદિવસની ઉજવણી
રાજકોટ : ભાજપનાં પ્રેસ મિડીયા અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના શાખા વિકાસ સમિતિના સભ્ય અને પૂર્વ ચાઈલ્ડ વેલ્ફેર કમિટિનાં સભ્ય અરૂણભાઈ નિર્મળ આજે જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.
શ્રી નિર્મળ ૧૯૭૧ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને રાષ્ટ્રસેવા સાથે રાજકીય તેમજ સામાજિક કાર્યોમાં ઉત્તમ સેવા આપી રહયા છે. ૧૯૯૫થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રેસ-મીડિયાની જવાબદારી સંભાળીને રાજકોટ મહાનગરપાલિકા, ધારાસભા, લોકસભા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણીમાં પ્રચાર પ્રસારની સફળતા પૂર્વક જવાબદારી સંભાળી છે.
હાલમાં તેઓ સહકાર ભારતી રાજકોટ વિભાગમાં મીડિયા જવાબદારી, જીવદયા ગ્રુપ, મહાપૂજા ધામ સ્વામિનારાયણ મંદિર, એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર, તેમજ અનેક ધાર્મિક-સામાજિક સંસ્થામાં મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપે છે. સેવાકીય સામાજીક , સાંસ્કૃતિક, ધાર્મિક પ્રવૃતિ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહયા છે. આ વર્ષે ૬૫ કીલો ચણ પક્ષીઓને અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરશે.
અરૂણ નિર્મળનાં જન્મદિવસ નિમિતે રાજકોટ શહેર/ જિલ્લાનાં હોદ્દેદારો, સંસદો ધારાસભ્યો, રાજકોટ નાગરિક સહકારી બેંકનાં ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેકટરો વિગેરે તરફથી (૯૮ર૪૪ ૧૬૬૩૯, ૮૩ર૦૪ ર૯પર૮) જન્મદિવસ ની શુભેચ્છા આપી છે.