Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગોંડલ નગરપાલિકાના શાસકપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

ગોંડલ તા.૧૫ : ગોંડલ નગરપાલિકા ના શાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા જીવન સફર ના ૩૯ વર્ષ પુર્ણ કરી આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓ દ્રારા આ પહેલા પોતાના જન્મદિને ચક્ષુદાન તેમજ દેહદાન ના સંકલ્પ કરવામાં આવ્યાં છે. રાજેન્દ્રસિંહ તેઓના સુપર ફાસ્ટ ડીસીઝન માટે પાલિકા તંત્રમાં આગવી ઓળખ ધરાવે છે. લોકસેવાના કાર્ય હોય કે પાલિકા કચેરીના કર્મચારીના પ્રશ્ન હોય ધડાધડ ઉકેલ લાવવામાં તેઓ હંમેશા તત્પર રહે છે.

'મિશન સન્ડે સ્લમ ડે' અભિયાન ચલાવી રવિવારના દિવસે રજા રાખ્યા વગર શહેરના સ્લમ વિસ્તારમાં નાનામાં નાના માણસ સુધી સરકારની યોજના હોય કે લોકોના પ્રાથમિક પ્રશ્ન હોય સ્થળ પર જ ઉકેલ લેયાવે છે. તેના અનુસંધાને  'સ્વચ્છ ભારત મિશન'  દ્વારા પ્રાઈમ મીનીસ્ટર એવોર્ડમાં ગુજરાત માંથી પ્રથમ હરોળમાં નામ નોમીનેટ થયુ છે.

હાલ કોરોના મહામારી માં લોકડાઉન દરમ્યાન શ્રમજીવી પરિવારોને ફુડ પેકેટ વિતરણ હોય કે પરપ્રાંતીય શ્રમીકો ને વતન જવાના પ્રશ્ન હોય રાજેન્દ્રસિંહ જાડેજા હંમેશા અગ્રેસર હોય જીતેગા ગોંડલ હારેગા કોરોના અભિયાન ચલાવી સંક્રમણ અટકાવવા ના પુર્ણ પ્રયાસ કરે છે. આજે તેમના જન્મદિને મો. ૯૮૯૮૯ ૪૭૬૫૬ પર શુભેચ્છા નો ધોધ વહી રહયો છે.

(11:33 am IST)