Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એનિમલ હેલ્પલાઇનના સેક્રેટરી પ્રતિક સંઘાણીનો કાલે જન્મદિન

રાજકોટ : સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં યુવા તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત ગારડી એવોર્ડ વિજેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ સન્માનીત, એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો આવતીકાલે તા. ૧૫ ઓકટોબર ગુરૂવારેનાં દિવસે ૩૯મો જન્મદિવસ છે. તેઓ શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ-શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી છે. તેમજ સમસ્ત મહાજન, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ, ક્રુઆલ્ટી વિવેકાંનદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતિ સમિતિઘ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, એનીમલ વેલફેર બોર્ડ, ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે સક્રિય રીતે જોડાયેલા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 'જીવદયા રત્ન એવોર્ડ'ભારત ભામાશા પૂ.દિપચંદ ગારડીના હસ્તે 'ગાર્ડી એવોર્ડ', જૈન સમાજ દ્વારા 'જૈન રત્ન એવોર્ડ' તેઓને મળેલો છે. પ્રતિકભાઇએ એમ.જે.એમ.સી, એમ. ફીલ સુધી ઉચ્ચ અભ્યાસ કરેલ છે. સાત વર્ષ પૂર્વે દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને ૩,૫૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલા ૬ કેટલ કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા વ્યવસાયો કોર્પોરેટ ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે.

પ્રતિક સંઘાણીને માતૃશ્રી છાયાબેન, પિતાશ્રી દિલીપભાઇ હરસુખભાઇ, પત્ની કિજલબેન દીકરી આંગી અને પુત્ર જીનાંશના જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩

(3:39 pm IST)