Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૩: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં આરએમઓ તરીકે સતત ૧૬ માર્ચથી અવિરત ફરજ બજાવી રહેલા ડો. મહેન્દ્રભાઇ સી. ચાવડાનો આજે જન્મદિવસ છે. સિવિલ હોસ્પિટલમાં સતત દર્દી નારાયણની સેવામાં જીવન સમર્પિત કરનારા અને ન વાદ ન વિવાદ, માત્ર નિષ્ઠાથી કામ...એ સુત્રને ધ્યાને રાખી ફરજ બજાવતાં શ્રી ચાવડાએ ૫૮માં વર્ષમાં પ્રવેશ  કર્યો છે. ૧૯૯૮થી તેઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. વચ્ચે ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભાવનગર જનરલ હોસ્પિટલમાં તેમના અનુભવોનો લાભ ત્યાંના તબિબોને મળ્યો હતો. હવે ફરીથી તેઓ રાજકોટ સિવિલમાં કાર્યરત છે. કોવિડ-૧૯ મહામારી કાળમાં તેમણે સતત મહિનાઓથી સુઝબુઝ સાથે ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય તંત્રના આદેશ અનુસાર કોરોનાના દર્દીઓને સારામાં સારી સુવિધા મળી રહે તેવી કાર્યવાહી કરી છે અને સ્ટાફ પાસે કરાવી છે. ડો. ચાવડા પોતાના મિલનસાર અને સરળ સ્વભાવને કારણે સાથી તબિબો અને તમામ સ્ટાફમાં પણ ખુબ સારી ચાહના ધરાવે છે. તેમને (મો.૯૫૮૬૮ ૧૭૭૧૧) સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(2:27 pm IST)