Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

જૈફ વયે યુવાનોને શરમાવે તેવી રીતે કાર્યરત

સંખ્યાબંધ સંસ્થાઓમાં સક્રિય એવા મનસુખભાઇ બારાઇનો કાલે જન્મદિ'

રાજકોટ, તા., ૬: કાલે રવિવારે દ્વારકા ઓખા પંથકના જાણીતા સામાજીક વ્યાપારી આગેવાન અને પીઢ રાજપુરૂષ એવા વિશ્વ લોહાણા મહાપરીષદનાં આગેવાન મનસુખભાઇ બારાઇનો જન્મદિવસ છે. તેમના વિશાળ શુભેચ્છક મિત્રો દ્વારા જન્મદિવસની પુર્વ સંધ્યાથી જ અભિનંદન વર્ષા મોબાઇલ નંબર ૯૪૦૮૮ ૬રપર૩ ઉપર થઇ રહી છે.

ઓખા મુકામે ૭-૧-૧૯૪૧નાં રોજ જાણીતા બારાઇ પરીવારમાં જેમનો જન્મ તેવા મનસુખભાઇ બારાઇ ૭૭ વર્ષની જૈફ વયે યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તીથી કાર્યરત છે. ર૦૦રમાં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ અને વજુભાઇ વાળા દ્વારા સામેથી ધારાસભાની ટિકીટ ઓફર થઇ હતી.જેઓનો તેઓએ સવિશેષ ઇન્કાર કરેલ. ઓખા લોહાણા મહાજન પ્રમુખ, બારાઇ પરીવાર, રઘુવંશી ફાઉન્ડેશન, મીડીયમ ન્યુઝ  પેપર્સ એશો. શારદાપીઠ ટ્રસ્ટ આરંભડા જલારામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ઓખા ચેમ્બર પોલીસ એડવાઇઝરી કમીટી સહિત સંખ્યાબંધ સંસ્થામાં તેઓ સેવા આપી રહયા છે.

(11:30 am IST)