Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને શિક્ષણપ્રેમી નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટ : રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને શિક્ષણપ્રેમી શ્રી નરેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. કેળવણી અને સેવાની સુવાસ ફેલાવનાર રાજપરા (ગઢ)ના વતની એન. ડી. જાડેજા સ્વ. સ્વાતંત્ર્ય સેનાની દાદુભા પ્રભાતસિંહ જાડેજાના વચેટ પુત્ર એમ. એ. બી. એઙની શૈક્ષણિક લાયકાત સાથે શ્રી (મહારાણા પ્રતાપ હાઈસ્કુલના પ્રિન્સીપાલ તરીકે) નિવૃત થયા. વતન રાજપરામાં દ.સા.શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કુલ, માતુશ્રિ મયાબા દાદુભા પ્રભાતસિંહજી સ્કુલ તથા ગુરૂ મહારાજ શ્રી નરસંગદાસજી ગુરૂકુળ (છાત્રાલય)ના તેઓ સ્થાપક સંચાલક છે. તાલુકા પંચાયત કોટડાસાંગાણીના પ્રમુખ રહી ચૂકેલા શ્રી એન. ડી. જાડેજાના ધર્મપત્નિ પ્રફુલ્લાબા જીલ્લા પંચાયત રાજકોટના શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકયા છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં યશસ્વી સેવા આપનાર શ્રી (બોર્ડ મેમ્બર તરીકે) એન. ડી. જાડેજા ગુજરાત રાજય આચાર્ય સંઘના પ્રમુખ પણ રહી ચૂકયા છે. હાલ તેઓ જીલ્લા ખ. વે. સહ. સંઘ રાજકોટના ડીરેકટર અને  રાજકોટ જીલ્લા ક્ષત્રિય સમાજ (સંકલન)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને વિદ્યાર્થીવર્ગ અને સ્નેહીઓ તરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. (મો.૯૮૨૪૨ ૨૨૯૩૪)

(12:17 pm IST)