Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2024

કાલે પુર્વ આરોગ્‍ય મંત્રી જયનારાયણનો વ્‍યાસનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના નર્મદા વિકાસ અને આરોગ્‍ય વિભાગના ભુતપુર્વ કેબીનેટ મંત્રીશ્રી જયનારાયણ વ્‍યાસનો જન્‍મ તા.૧૪ એપ્રિલ ૧૯૪૭ના દિવસે થયેલ. કાલે ૭૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ રાજકીય, આર્થીક, સામાજીક વગેરે બાબતોના વિદ્વાન વિશ્‍લેષક છે. તેમણે આઇઆઇટી બોમ્‍બેથી સીવીલ એન્‍જીનીયર તરીકે પદવી મેળવી છે. જય વ્‍યવસ્‍થાપનના નિષ્‍ણાંત હોવાના નાતે તેમણે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે દાખલારૂપ કામગીરી કરેલ. ધારાસભામાં સિધ્‍ધપુર મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરતા હતા. તેમણે વેપાર ઉદ્યોગને લગતા અનેક લેખો અને પુસ્‍તકો લખ્‍યા છે.

મો. ૯૮રપ૦ ૦પ૩૩પ અમદાવાદ.

(11:39 am IST)