News of Thursday, 31st May 2018
વર્લ્ડકપમાં ધોની નંબર પાંચ પર બેટીંગ કરે એવો દિગ્ગજોનો મત
તાજેતરમાં સમાપ્ત થયેલી આઈપીએલમાં ભારતીય ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર બેટીંગ કરીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી હતી, જેને કારણે ભારતના દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે થનારા વર્લ્ડકપ માટે ધોનીએ નંબર ૬ને બદલે નંબર પાંચ પર બેટીંગ કરવી જોઈએ. જો ધોની નંબર પાંચ પર બેટીંગ કરે તો એનાથી ટીમને વધુ લાભ થશે.
અંશુમાન ગાયકવાડ, કે. શ્રીકાન્ત અને લક્ષ્મણ શિવરામ ક્રિષ્નનને આ વાતમાં કોઈ મુશ્કેલી નથી લાગતી કે આવતા વર્ષે થનારા વર્લ્ડકપ માટે ધોની અત્યારથી જ વન-ડેમાં નંબર પાંચ પર બેટીંગ કરે. જો કે ભૂતપૂર્વ સિલેકટર વિક્રમ રાઠોડ અને અતુલ વાસનના મતે ધોનીની ઓળખ ફીનીશર તરીકેની છે એથી તેના બેટીંગ ક્રમાંકમાં કોઈ પણ જાતની છેડછાડ ન કરવી જોઈએ.
(4:13 pm IST)