News of Monday, 30th March 2020
રહાણેએ ડોનેટ કર્યા ૧૦ લાખ
સચિને ૫૦ લાખ, રૈનાએ પર લાખ અને બીસીસીઆઇએ ૫૧ કરોડનું અનુદાન આપ્યું છે
મુંબઈઃ ભારતના ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકય રહાણેએ કોરોના વાઇરસ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતાં મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં ૧૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. રહાણે ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ૫૦ લાખ રૂપિયા અને સુરેન રૈનાએ બાવન લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમજન્સી સિચુએશન્સ ફંડમાં ૫૧ કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લીધો છે.
(3:36 pm IST)