ચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી ?: ટીમની વેબસાઈટથી નામ ગાયબ !
રૈનાએ cskને માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્વીટર પર અનફૉલો કરી દીધું
મુંબઈ : આઈપીએલના કિંગ કહેવાતા સુરેશ રૈના ખાનગી કારણોનો હવાલો આપતા સીઝનની શરૂઆત પહેલા જ ભારત પરત આવી ગયા હતા.રૈનાના પરત આવ્યા બાદથી જ તેમની ટીમમાં વાપસીની ચર્ચા ચાલી રહી હતી. ખુદ સુરેશ રૈનાએ કહ્યું હતું કે તે ગમે ત્યારે વાપસી કરી શકે છે. જો કે હવે નથી લાગતું કે ટીમમાં તે પરત આવવાના છે.
હકીકતમાં ચેન્નઈ સુપર કિંગ્સની વેબસાઈટ પરથી સુરેશ રૈનાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ટીમના સેક્શન તમામ ખેલાડીઓના નામ છે, પરંતુ ત્યાંથી રૈનાનું નામ ગાયબ છે. તેનાથી એ તો નક્કી થઈ ગયું કે રૈના આ સીઝનમાં વાપસી નથી કરવાના. શુક્રવારે ચેન્નઈની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા.
આ પહેલા રૈનાએ cskને માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્વીટર પર અનફૉલો કરી દીધું છે. ખબરો પ્રમાણે રૈનાએ શનિવારથી cskને ફૉલો કરવાનું બંધ કરી દીધું હતું.
રૈનાએ શનિવારે એક ટ્વીટ કર્યું જ્યાં તે વૈષ્ણો દેવીમાં દેખાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતા દેખાઈ રહ્યા છે. તે છેલ્લા લાંબા સમયથી કાશ્મીરમાં સમય વિતાવી રહ્યા છે.