ખેલ-જગત
News of Thursday, 29th April 2021

પંતની કેપ્ટનશીપથી નારાજ છે સેહવાગ

મેચમાં પરીસ્થિતિ મુજબ બોલરોનો ઉપયોગ કરવો જરૂરી

પંતની કેપ્ટન શીપમાં દિલ્હી ૬ મેચમાંથી ચાર જીત્યું છે અને બે જ હાર્યું છે, પણ ભુતપુર્વ ખેલાડી અને દિલ્હીવાસી વીરેન્દ્ર સેહવાગ જરાય ખુશ નથી. સેહવાગ કહે છે, ''પંતને કેપ્ટન માટે ૧૦માંથીહું માત્ર ત્રણ જ માર્ક આપું. જો તમારા બેસ્ટ બોલર પાસે પૂરી ચાર ઓવર ન કરાવી શકો એ બતાવે છે કે તમારા પ્લાનિંગમાં કંઇક સમસ્યા છે.

કેપ્ટને મેચમાં પરિસ્થિતિ પ્રમાણે બોલરોનો ઉપયોગ કરવો જરૂરી છે. પંતે બેન્ગલોર સામે ટીમના બેસ્ટ બોલર અમિત મિશ્રા પાસે ચાર ઓવર પૂરી નહોતી કરાવી. બીજું, કેગિસો રબાડા જેવા અનુભવી બોલર પાસે પહેલાં જ ચાર ઓવર પૂરી નખાવી જેની છેલ્લે ખાસ જરૂર હોય છે.

(3:16 pm IST)