એશિયા કપમાં હાર બાદ પછી પાકિસ્તાની ટીમમાંથી મોહમ્મદ આમિર બહાર
નવી દિલ્હી: એશિયા કપમાં બાંગ્લાદેશના હાથે હારીને બહાર થયા બાદ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમની ઘોષણા કરી દીધી છે. આ ટીમમાં ખરાબ ફોર્મથી જજુમી રહેલા મોહમ્મદ આમિરને સ્થાન આપવામાં અવ્યું નથી. તેને 17 સભ્યની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આમિર હાલની એશિયા એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તા, આવતા મહિને સંયુક્ત અરબ અમિરાત (UAE)માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે ટેસ્ટની સિરીઝ રમશે.ઝડપી બોલર આમિર એશિયા કપમાં એક પણ વિકેટ લઇ શક્યો નહી અને તેને ટીમની બે મેચોની અંતિમ એકાદશમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું. પાકિસ્તાન પોતાના અંતિમ સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ હાર સાથે એશિયા કપમાંથી ફેંકાઇ ગયું છે. ફાઇનલ આજે (શુક્રવારે) દુબઇમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે,