News of Thursday, 28th February 2019
ભારત-પાકિસ્તાન વચ્ચે વિમેન્સ સિરીઝ વિશે બીસીસીઆઈ નિર્ણય લેશે : ઝૂલન ગોસ્વામી
ભારતની અનુભવી પેસ બોલર ઝૂલન ગોસ્વામીએ મીડિયાને કહ્યું હતું કે આઈસીસી વિમેન્સ વન-ડે ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાનારી ભારત-પાકિસ્તાન વન-ડે સિરીઝ ભારતે રમવી કે ન રમવી એ બાબત ભારતીય ક્રિકેટ બોર્ડ નક્કી કરશે.
આ સિરીઝ ૨૦૨૧માં રમાનારા આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટેની કવોલિફિકેશન સિરીઝ છે જેના પોઈટ્સ વર્લ્ડ કપમાં સીધા કવોલિફાય થવા મહત્ત્વના રહેશે.
(3:49 pm IST)