કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતની જોડી અદ્ભુત, આપણને વર્લ્ડકપ અપાવશે જઃ સચિન
ઉતાર ચઢાવ આવશે પણ આશા ન ગુમાવો
નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકરે કહ્યું કે મર્યાદિત ઓવરોના કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની જોડી વર્લ્ડ કપ જીતવા માટે ભારતની રાહનો અંત લાવશે.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે એક શોમાં વાત કરતા રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની પ્રશંસામાં લોકગીતો વાંચી હતી. સચિને કહ્યું, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ એક શાનદાર જોડી છે, બંને આગામી વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રયત્ન આપશે, તેમને ખેલાડીઓનો ઘણો સપોર્ટ છે. બંનેએ પૂરતું ક્રિકેટ રમ્યું છે, ઉતાર-ચઢાવ આવશે, પરંતુ આશા ન ગુમાવો. ભારતે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં બે વર્લ્ડ કપ રમવાના છે.
ભારતીય ક્રિકેટ ટીમે ૨ એપ્રિલ ૨૦૧૧ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને ૫૦-ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન ધોની સંભાળી રહ્યો હતો. સચિને કહ્યું, એપ્રિલમાં ૧૧ વર્ષ થશે, અમે એકપણ વર્લ્ડ કપ જીત્યા નથી. તે એક લાંબી રાહ છે. દરેક વ્યકિત, હું પણ ઈચ્છું છું કે બીસીસીઆઈની કેબિનેટમાં બીજી મહાન ટ્રોફી હોવી જોઈએ.
૪૮ વર્ષીય સચિને આગળ કહ્યું, આ એ ટ્રોફી છે જેના માટે દરેક ક્રિકેટર રમે છે - વર્લ્ડ કપ. ક્રિકેટર માટે આનાથી મોટું બીજું કંઈ ન હોઈ શકે, પછી ભલે તે શોર્ટ ફોર્મેટ હોય કે મોટો, વર્લ્ડ કપ હંમેશા ખાસ હોય છે.