વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા
આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે ત્યારે આજે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તા.૬, ૮ અને ૧૧ ડિસેમ્બર એમ ટી-૨૦ સિરીઝના ત્રણ મેચો રમાનાર છે. જેમાં ટીમ ઈન્ડિયા આ મુજબ છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, વોશીંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દિપક ચહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, સંજુ સેમસન. આ સીરીઝમાં રોહિત શર્માને આરામ આપવાની ભારે ચર્ચાઓ થઈ હતી, પરંતુ તેને આરામ આપવામાં આવ્યો નથી અને આ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં તેણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી-૨૦ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી.