News of Monday, 27th September 2021
આગામી એશિઝ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે મોઈન અલી
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ આગામી એશિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અલીએ ઇંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ અને ટેસ્ટ કેપ્ટન જો રૂટને તેના નિર્ણયની જાણકારી આપી છે. 64 ટેસ્ટ રમી ચૂકેલા અલીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે કારણ કે તેને લાંબા સમય સુધી પોતાના ઘરથી દૂર રહેવું પડશે. અલી હાલમાં IPL 2021 માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આ પછી તેને ટી 20 વર્લ્ડ કપની ટીમનો ભાગ બનવાનું છે અને જો તેને એશિઝ શ્રેણી માટે પસંદ કરવામાં આવે તો 5 ટેસ્ટ મેચોની આ શ્રેણી માટે તેણે ઘરથી દૂર બાયો બબલમાં ઘણો સમય પસાર કરવો પડશે.
(5:55 pm IST)