બીસીસીઆઈએ આઇપીએલ ઇવેન્ટ માટે અમીરાત ક્રિકેટ બોર્ડને મોકલ્યો મંજૂરી પત્ર
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ બ્રિજેશ પટેલે રવિવારે પુષ્ટિ કરી હતી કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ને સ્વીકૃતિનો પત્ર મોકલ્યો છે.યુએઈના અખબાર સાથે વાત કરતાં પટેલે કહ્યું હતું કે, હા, અમે સ્વીકૃતિ પત્ર ઇસીબીને મોકલી આપ્યો છે અને હવેથી બંને ટુર્નામેન્ટ આયોજીત કરવા માટે બંને બોર્ડ મળીને કામ કરશે.અખબારના જણાવ્યા અનુસાર, ઇસીબીએ એપ્રિલમાં બીસીસીઆઈને આઈપીએલની 13 મી આવૃત્તિનું આયોજન કરવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જે મૂળ ભારતમાં 29 માર્ચે શરૂ થવાની હતી.જો કે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. વધુમાં, પટેલે જણાવ્યું હતું કે આઈપીએલની આઠ ફ્રેંચાઇઝી - મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સંયુક્ત આરબ અમીરાતમાં પ્રી-ટૂર્નામેન્ટ તાલીમ શિબિર યોજાશે.તેમણે જણાવ્યું હતું કે યુએઈમાં બાયો-સેફ વાતાવરણમાં તાલીમ શિબિર યોજાશે અને ટુર્નામેન્ટની તૈયારી માટે ટીમોને ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયા મળશે. "