ખેલ-જગત
News of Monday, 27th May 2019

લગ્ન પછી હું જવાબદાર થઈ ગયો છું જે મને સારો કેપ્ટન બનવામાં મદદ કરે છે

વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

લંડન : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ-એકસેસ અનુષ્કા શર્મા ચર્ચિત કપલમાંથી એક છે અને બન્ને સતત ચર્ચામાં રહે છે. એ સિવાય પણ કપલ પોતાના વેકેશન્સના ફોટો અને વિડિયોઝ પોતાના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતું રહે છે. વિરાટ કોહલી વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ જતાં પહેલાં અનુષ્કા શર્મા સાથે કવોલિટી ટાઇમ વિતાવવા મિની વેકેશન પર ગયો હતો.

તાજેતરમાં વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ૧૦ ટીમના કેપ્ટનોની એક પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન વિરાટને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી શું બદલાવ આવ્યો? જેના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું કે હું વધારે જવાબદાર થઈ ગયો છું જે મને સારો કેપ્ટન બનવામાં મદદ કરે છે. મારી કેપ્ટન્સીમાં બદલાવ આવ્યો છે. હું એક સારો માણસ અને ખેલાડી બની શકયો છું.

ઉલ્લેખનીય છે કે અનુષ્કાના બર્થ-ડમાં વિરાટે ડિનરનું પ્લાનિંગ કર્યું હતું અને એના ફોટો અને વિડિયો પણ તેણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા

(3:46 pm IST)