ખેલ-જગત
News of Friday, 27th April 2018

ગંભીરે કેપ્ટન્સી છોડવાથી દિલ્હીની સમસ્યાનો ઉકેલ નહિં આવે : માંજરેકર

બેટ્સમેનો રન નથી બનાવી રહ્યા તેનું સૌથી મોટુ નુકશાન ટીમને થઈ રહ્યુ છે

દિલ્હીની ટીમે આ સીઝનમાં સારૂ પ્રદર્શન ન કરતા એના કેપ્ટન ગૌતમ ગંભીરે કેપ્ટનપદેથી રાજીનામુ આપ્યુ હતું. જો કે ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું હતું કે મને નથી લાગતુ કે ગંભીરની કેપ્ટન્સી કોઈ સમસ્યા હતી, બેટ્સમેનો રન નથી બનાવી રહ્યા. મેકસવેલ રન નથી બનાવી રહ્યો એનું સૌથી મોટું નુકશાન ટીમને જઈ રહ્યુ છે. ગંભીરને તેની બેટીંગ માટે નહિં, કેપ્ટન્સી માટે પસંદ કરવામાં આવ્યો હતો. બેટીંગ લાઈનઅપ નિષ્ફળ જતા ગંભીર ટીકાનો ભાગ બની રહ્યો છે.

(12:47 pm IST)