News of Friday, 27th March 2020
નસીબદાર છું કે મારી ટીમમાં સંજીવ જેવો ટ્રેઈનર છેઃ બંગાળનો કોચ અરૂણલાલ
રણજી ટ્રોફી ટીમ બંગાળના કોચ અરૂણલાલ પોતાના ટ્રેઈનર અને ફિઝિયોથી ઘણો ખુશ છે. આ વિશે તેમણે કહ્યું કે 'હું હંમેશાં રનિંગ, વર્કઆઉટ અને ટ્રેઈનિંગ પર વધારે ધ્યાન આપું છું, કેમ કે નેટમાંએ પ્લેયરોને સારી રીતે તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સંજીવ ઘણો સ્પેશ્યલ છે, કેમ કે તે ટીમ માટે રજાના દિવસોમાં પણ ખડેપગે રહેતો હોય છે.'
(3:29 pm IST)