News of Wednesday, 27th March 2019
IPLમાં માન્કડિંગ નહીં એવું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું : રાજીવ શુકલા
આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ દાવો કર્યો હતો કે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત આઈપીએલના કેપ્ટનોની એક બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે લીગમાં કોઈ પણ બેટ્સમેનને માન્કડિંગથી આઉટ કરવામાં આવશે નહીં.
જયાં સુધી મને યાદ છે કે એ કેપ્ટનો અને મેચરેફરીની બેઠક હતી અને ચેરમેન તરીકે હું પણ હાજર હતો. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો બીજા છેડે ઊભેલો બેટ્સમેન બહાર પણ નીકળી જાય તો બોલર સૌજન્યથી તેને રનઆઉટ કરશે નહીં.
(3:40 pm IST)