રવિ બિશ્નોઇ ડેબ્યુ કરશે, કુલદીપ યાદવની ટીમમાં વાપસી
વિન્ડીઝ સામે ઘરઆંગણે રમાનાર વન-ડે અને ટી -૨૦ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત : રોહીત શર્મા ફીટ ટીમમાં વાપસીઃ લોકેશ રાહુલ બીજા વન-ડેથી જોડાશેઃ વેંકટેશ ઐય્યર અને ઇશાન કિશન વન-ડેમાંથી બહાર, બુમરાહ અને શમીને આરામ અપાયોઃ જાડેજા હજુ ફીટ નથી
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટી-૨૦ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ચાઈના મેન બોલર કુલદીપ યાદવની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. બિશ્નોઈને વન-ડે અને ટી-૨૦ બંને ટીમોમાં સામેલ કરવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કરતો જોવા મળશે. રવિને તાજેતરમાં નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેઍલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડા, રિષભ પંત (વિકેટમેન), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ. સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ, અવેશ ખાન.
ટી-૨૦ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટમેન), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ.
રાહુલ બીજી વનડેથી ટીમ સાથે જોડાશે
બીસીસીઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પસંદગીકારોએ આરામ આપ્યો છે. કેએલ રાહુલ પ્રથમ વનડેમાં નહીં રમે. તે બીજી વનડેથી ટીમની સાથે રહેશે. અક્ષર પટેલ ટી-૨૦ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યો નથી. તે હજુ સુધી તેના ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી.
આ સીરીઝ માટે રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટી- ૨૦ વર્લ્ડ કપ બાદથી બંને સતત ક્રિકેટ રમી રહયા છે. આવી સ્થિતિમાં બોર્ડે તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.બીસીસીઆઈઍ પણ હાર્દિક પંડ્યા, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તીની ફિટનેસ અંગે કોઈ અપડેટ નથી આપી.
વન-ડે અને ટી-૨૦ ટીમમાં શું ફેરફારો થયા?
શિખર ધવન ૧૮ સભ્યોની વન-ડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા. તેણે દક્ષિણ આફ્રિકા સામે બે અર્ધસદી બનાવી હતી. ફાસ્ટ બોલર અવેશ ખાન અને રવિ બિશ્નોઈ વન-ડે અને ટી-૨૦ બંનેમાં ટીમ ઈન્ડિયાના નવા ચહેરા હશે. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી 'કુલચા' વનડેમાં વાપસી કરી છે. જોકે, કુલદીપને ટી૨૦માં સામેલ કરવામાં આવ્યો નથી.
આ સિવાય વોશિંગ્ટન સુંદરને પણ કોરોનામાંથી સાજા થયા બાદ બંને ફોર્મેટમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત અને ધવનની જોડી વનડેમાં ઓપનિંગ કરતી જોવા મળશે. જ્યારે રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. ટી૨૦માં માત્ર રાહુલ અને રોહિત ઓપનિંગ કરશે. વેંકટેશ અય્યર અને ઈશાન કિશનને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જોકે, બંનેને ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સિવાય ઓલરાઉન્ડર દીપક હુડ્ડાનો વન-ડે અને હર્ષલ પટેલને ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દીપકને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, હર્ષલે ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે તેની હોમ સિરીઝની શરૂઆત કરી છે.
કુલદીપે છેલ્લી મેચ ગયા વર્ષે જુલાઈમાં રમી હતી
કુલદીપે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ૨૯ જુલાઈ ૨૦૨૧ના રોજ શ્રીલંકા સામે રમી હતી. તે ટી-૨૦ મેચ હતી. તે જ સમયે, તેણે ૨૦ જુલાઈ ૨૦૨૧ના રોજ શ્રીલંકા સામે છેલ્લી વન-ડે મેચ રમી હતી. આ પછી તે ઈજાના કારણે ગયા વર્ષે આઇપીએલ પણ રમી શક્યો ન હતો. તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી.
ભારતે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામે વનડે શ્રેણીમાં ૩-૦થી કલીન હાર કરી હતી. આ શ્રેણીમાં ભારતીય સ્પિનરોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્નાં હતું. રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને જયંત યાદવે ત્રણ મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવના આંકડા
રવિ બિશ્નોઈઍ આઇપીએલ ૨૩ મેચમાં ૨૫.૨૫ની ઍવરેજથી ૨૪ વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ ૬.૯૭ રહયા છે. તે જ સમયે, ૨૪ રનમાં ત્રણ વિકેટ, રવિની આઈપીઍલમાં શ્રેષ્ઠ બોલિંગ છે. કુલદીપની વાત કરીઍ તો તેણે વન-ડે માં ૬૫ મેચમાં ૧૦૭ વિકેટ ઝડપી છે. તેમનો ઈકોનોમી રેટ ૫.૨૩ રહ્ના. તે જ સમયે, ટી-૨૦ માં, કુલદીપે ૨૩ મેચમાં ૪૧ વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ ૭.૧૫ રહયા છે.
ભુવનેશ્વર વન-ડે માંથી બહાર થઈ ગયો હતો
દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ખરાબ ફોર્મમાં હતો. તે બે વનડેમાં ઍક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ભુવનેશ્વરને વિન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝ માટે ટીમમાં રાખવામાં આવ્યો છે, પરંતુ તેને વનડે સીરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં પણ ભુવીને પ્લેઇંગ-૧૧માંથી બહાર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાઍ દીપક ચહરને લેવામાં આવ્યો અને ચહર બોલ અને બેટ બંનેથી પ્રભાવિત થયો. દીપક વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટી-૨૦્ બંનેમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહયા છે.
વન-ડે અમદાવાદમાં અને ટી-૨૦ કોલકતામાં રમાશે
૬ ફેબ્રુઆરીં: પહેલી વન-ડે(અમદાવાદ)
૯ ફેબ્રુઆરી : બીજી વન-ડે(અમદાવાદ)
૧૧ ફેબ્રુઆરીં : ત્રીજી વન-ડે(અમદાવાદ)
૧૬ ફેબ્રુઆરીં : ૧લી ટી-૨૦ (કોલકાતા)
૧૮ ફેબ્રુઆરી : બીજી ટી-૨૦ (કોલકાતા)
૨૦ ફેબ્રુઆરી : ત્રીજી ટી-૨૦ (કોલકાતા)