ખેલ-જગત
News of Friday, 26th November 2021

ઈન્ઝમામ-ઉલ હકે આપ્યું મોટું નિવેદન: કહ્યું- પાકિસ્તાન સાથે T-20 વર્લ્ડ કપની મેચ પહેલા ભારત ડરી ગયું

નવી દિલ્હી: પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે ટી20 વર્લ્ડ કપ 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેમાં ભારતીય ટીમને પહેલીવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતને પાકિસ્તાનના હાથે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચને લઈને ઈન્ઝમામે દાવો કર્યો છે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત પહેલા જ ડરી ગઈ હતી. ઈંઝમામે ARY ન્યૂઝ પર કહ્યું, 'મને લાગે છે કે મેચ શરૂ થતાં પહેલા જ ભારતીયો ડરી ગયા હતા. તેમની બોડી લેંગ્વેજ, જો તમે ટોસ પર વિરાટ કોહલી અને બાબર આઝમના ઇન્ટરવ્યુ જુઓ તો તમે સમજી શકો છો કે કોણ દબાણમાં હતું. અમારી ટીમની બોડી લેંગ્વેજ તેના કરતા ઘણી સારી હતી. એવું નહોતું કે રોહિત શર્માના આઉટ થયા બાદ ભારત દબાણમાં હતું. શર્મા પોતે દબાણમાં હતા. પરંતુ તે સ્પષ્ટ હતું કે તેઓ બધા દબાણ હેઠળ હતા.

(6:47 pm IST)