હું ખેલાડીઓને આરામ દાયક વાતાવરણ આપીશ, જેથી ટીમ ઘર જેવો અનુભવ કરે
આઇપીએલની અમદાવાદની ટીમનો કેપ્ટન હાર્દિક કહે છે : ઓલરાઉન્ડર તરીકે જ રમીશ, ભવિષ્ય અંગે તો સમય જ બતાવશે
નવી દિલ્હી : હાર્દિક પંડ્યા ટી-૨૦ વર્લ્ડ કપ બાદથી જ ટીમની બહાર ચાલી રહ્યો છે. સાથે મુંબઈની ટીમે તેને રિટેન ન કરતા તે અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝ સાથે જોડાયો છે. તે અમદાવાદની ટીમનો કેપ્ટન પણ રહેશે.
હાર્દિકે કહયું 'હું એક ઓલરાઉન્ડર તરીકે જ રમવા માગું છું. જે કંઈ હાલમાં ખોટું થયું છે તેનું કારણ નથી જાણતો. હવે ફિટનેસ મામલે અગાઉ કરતા વધુ સારું અનુભવી રહ્યો છું. ભવિષ્યમાં શું થશે તો સમય જ બતાવશે.'
અમદાવાદની આઇપીએલ ટીમના કેપ્ટન બનવા અંગે હાર્દિકે જણાવ્યું,'હું કેપ્ટન તરીકે ડ્રેસિંગ રૂમમાં સારું વાતાવરણ રહે તેવો પ્રયાસ કરીશ. મારો પ્રયાસ એવો રહેશે કે હું પોતાની કેપ્ટન્સીથી ઉદાહરણ સેટ કરી શકું. હું ખેલાડીઓને આરામદાયક વાતાવરણ આપવા માગીશ, જેથી ટીમને ખેલાડીઓ એક ઘર જેવું અનુભવી શકે.