પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કરી ન્યુઝીલેન્ડ સામેની પાંચ વનડે માટેની ટીમ
નવી દિલ્હી:ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડે મેચની સીરીઝ માટે પાકિસ્તાન ટીમનું એલાન કરી દીધું છે. શનિવારે જાહેર કરવામાં આવેલ ટીમમાં ઓપનર બેટ્સમેન અહેમદ શહેજાદ અને ઈજાગ્રસ્ત ઈમાદ વસીમને બહાર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તરફથી જાહેર કરેલી ટીમ યાદીમાં અહેમદ શહેજાદના સ્થાન પર અઝહર અલીને સામેલ કરવામાં આવ્યા છે.પાકિસ્તાનની આ ૧૫ સભ્યોની ટીમમાં ઉસ્માન ખ્વાજા અને જુનૈદ ખાનને પણ સામેલ કરવામાં આવ્યા નથી. ઈમાદ વસીમની ઈજાના કારણે ટીમથી બહાર છે. જયારે મોહમ્મદ આમીરની ટીમમાં જગ્યા મળી હતી.
તેના સિવાય ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અને આમેર યામીને પણ ૨૦૧૫ બાદ વનડે ટીમમાં વાપસી કરી છે.પીસીબીએ સંભવિત ૧૮ સભ્યો ટીમને અંતિમ ઈલેવન પહેલા ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્ય ટીમને પસંદ કરવામાં આવ્યા છે.આ અંગે પસંદગી સમિતિના પ્રમુખ ઇન્જામ-ઉલ-હકે જણાવ્યું હતું કે, “આ ટીમના પસંદગી વર્તમાન પરીસ્થિતિઓ અને ઘરેલું ટુર્નામેન્ટમાં કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા કરવામાં આવ્યું છે. શ્રીલંકા વનડે સીરીઝમાં આરામ આપ્યા બાદ અઝહરની ટીમમાં વાપસી થઈ ગઈ છે. તે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયા પછી ટીમમાં પાછા ફર્યા છે.”
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની વચ્ચે પાંચ વનડે મેચની સિરીઝની પ્રથમ મેચ છ જાન્યુઆરી વેલિંગ્ટનમાં રમાશે.પાકિસ્તાન ટીમ “ સરફરાઝ અહેમદ (કેપ્ટન, વિકેટકીપર), અઝહર અલી, ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ, હારીસ સોહેલ, ફહીમ અશરફ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ આમીર, હસન અલી, આમેર યામીન અને રુમાન રઈસ.