ખેલ-જગત
News of Tuesday, 25th June 2019

ઇંતજાર કરો, યોગ્ય સમય પર પોતાનું સર્વશ્રેષ્ઠ બતાવશે ધોનીઃ સંદિપ પાટીલની પ્રતિક્રિયા

પૂર્વ મુખ્ય પસંદગીકાર સંદિપ પાટીલએ કહ્યું છે કે વિશ્વકપમાં એમ.એસ. ધોની યોગ્ય સમય પર પોતાનું સર્વશ્રેષ્ઠ પદર્શન બતાવશે. અને એમણે આલોચકોને ઇંતજાર કરવા કહ્યું છે.

        એમણે કહ્યું ધોની-કેદાર જાધવની પાર્ટનરશીપ ન હોત તો અફઘાનિસ્તાન સામે ભારતની ટીમના ર૦૦ થી પણ ઓછા રન થાત.

        ધોનીની ભૂમિકા પ્રથમ એક સલાહકાર પછી વિકેટકીપર અને ત્યારપછી બેટસમેનની છે. આપણે ધોનીને નજરઅંદાજ કરવાની ભુલ ન કરવી જોઇએ.

(11:14 pm IST)