રસ્તો મુશ્કેલ છે, તારે તૈયાર રહેવું પડશે
સચીનની પુત્ર અર્જુનને સલાહ : પસંદગી મામલે ટીમ મેનેજમેન્ટમાં દખલ કરતો નથી
નવી દિલ્હી : સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને આઇપીએલમાં મુંબઇ તરફથી રમવાની તક મળી નથી. ભૂતપૂર્વ મહાન ક્રિકેટરે ઉભરતા ઓલરાઉન્ડરને કહ્યુ હતુ કે આ રસ્તો પડકારજનક હશે. અને સખત મહેનત કરતા રહેવું પડશે.તેંડુલકરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે પસંદગીની બાબતોમાં દખલ કરતો નથી.
જયારે તેંડુલકરને પૂછવામાં આવ્યુ કે શું તે આ વર્ષે અર્જુનને રમતા જોવાનું પસંદ કરશે. તો તેણે કહ્યુ તે,એક અલગ પ્ર શ્ન છે હુ શુ વિચારી રહ્યો છુ અથવા શું અનુભવું છું તેનાથી કોઇ ફરક પડતો નથી. સચિને કહ્યું જયા સુધી પસંદગીનો સવાલ છે. તે ટીમ મેનેજમેન્ટ પર છોડી દે છે. આપણે પસંદગીની વાત કરીએ તો હું કયારેય પસંદગીમાં મારી જાતને સામેલ કરતો નથી. હું આ બધી બાબતો ટીમ મેનેજમેન્ટ પર છોડી દઉ છું કારણ કે મે હંમેશા આ રીતે કામ કર્યુ છે.
અર્જુનને આઇપીએલ પછી રણજી ટ્રોફીમાં પણ નિરાશા
જુનિયર તેન્ડુલકરને મુંબઇ ઇન્ડિયન્સ વતી રમવા ન મળ્યું અને હવે જૂનમાં રણજી નોકઆઉટમાં રમનારી મુંબઇની ટીમમાંથી પણ થઇ ગઇ બાદબાકી