ખેલ-જગત
News of Thursday, 25th February 2021

ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારતા અમદાવાદીઓ

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ભારતીય બોલરો છવાયા હતા. અંગ્રેજોની આખી ટીમ માત્ર ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. દરમિયાન ૬ વર્ષના લાંબા સમય બાદ અમદાવાદમાં ઈન્ટરનેશનલ મેચ રમાતી હોય મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા ઉમટી પડ્યા હતા. આ તકે પોતાનો ૧૦૦મો ટેસ્ટ મેચ રમી રહેલા ઈશાંત શર્માનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)