પપ્પા બનતા પહેલા જ વિરાટ કોહલીને લાગે છે ડર, ઘરમાં નહિં રાખે તેને મળેલી ટ્રોફીઓ
અનુષ્કા ધાર્મિક છે, તેની સાથે રહેવાથી મારામાં પણ ઘણો બદલાવ આવ્યો છે : મારો પરિવાર મારા સમયનો હકદાર
વિરાટ કોહલીએ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ વાઈફે ઓફ ફિલ્ડ કેપ્ટન ગણાવી હતી અને તેના આવ્યા પછી જીવનમાં સકારાત્મક બદલાવ થયો હોવાનું પણ જણાવ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ફેમીલી પ્લાનીંગની વાત પણ કરી હતી અને પપ્પા બનતા પહેલા તેના ઘરમાં શું રાખશે અને શું નહિં રાખે એની વિગતે ચર્ચા કરી હતી.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે અનુષ્કા શર્મા એકદમ ધાર્મિક છે અને તેની સાથે રહેવાથી મારામાં પણ ઘણા બદલાવ આવ્યા છે. હું અગાઉ કરતાં ઘણો શાંત થયો છું. હું એ જાણું છું કે આજે હું જયાં છું એ ચીજો મારી જીંદગીમાં મારી સાથે કાયમ નહિં રહે. મારો પરિવાર હંમેશા મારા સમયનો હકદાર છે. હું એવું ચાહું છું કે જયારે મારા બાળકો મોટા થાય એ પહેલા હું કંઈક ચીજો બદલી નાખુ. હું નથી ચાહતો કે મારા બાળકો મોટા થતા હોય ત્યારે મને મળેલી ટ્રોફીઓ પર તેમની નજર જાય. મને મળેલી અત્યાર સુધીની કોઈપણ ટ્રોફી એ સમયે મારા ઘરમાં મોજુદ રહે. હું એવી તમામ ચીજો હટાવવા માગુ છું કે મારા કરીઅરને ફલેશ કરે.(૩૭.૫)