ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

આઇપીએલ પ્લે ઓફમાં જગ્યા બનવવા ટીમોની રસાકસી....

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝન હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે પ્લે ઓફમાં કઈ ચાર ટીમો સ્થાન મેળવશે તેની ચર્ચાનો દૌર શરૃ થઈ ચૂક્યો છે. પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતી દિલ્હી અને ચેન્નાઈની ટીમો તો પ્લે ઓફમાં સ્થાન મેળવવાના આરે પહોંચી જ ગઈ છે. જોકે બહાર ફેંકાયેલી મનાતી બેંગ્લોર અને રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીઓ પણ જો અને તો ના ગણિતને સહારે અંતિમ ચારમાં પ્રવેશવાની આશા રાખી રહી છે. ગઈકાલે મોડી રાત્રે રમાયેલી ચેન્નાઈ અને હૈદરાબાદની મેચનું પરીણામ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરી ચૂક્યું હશે. જો ચેન્નાઈ વિજેતા બનશે તો તે પ્લે ઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે, પણ જો હૈદરાબાદ જીતશે તો પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી ટીમોની મુશ્કેલી વધી જશે. આઇપીએલના પોઈન્ટ ટેબલની હાલની સ્થિતિ ભારે રસપ્રદ છે અને જો ચેન્નાઈ અને દિલ્હીને નિશ્ચિત માનીએ તો બાકીના બે સ્થાન માટે મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, પંજાબ અને કોલકાતા વચ્ચે ખરાખરીની સ્પર્ધા લાગી રહી છે. 

(5:30 pm IST)