'યો યો ટેસ્ટ'માં પાસ થયો સુરેશ રૈના
નવી દિલ્હી:ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ તરીકેની ઓળખ ધરાવતા સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે ફિટનેસ મેળવી લીધી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામ માટે ફિટનેસ માટેનો 'યો યો ટેસ્ટ' ફરજીયાત બનાવ્યો છે. રૈના અગાઉ આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોવાનું મનાય છે. જોકે બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે આ ટેસ્ટ પાસ કર્યા બાદ તેણે ગૌરવભેર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આ અંગેની જાહેરાત કરી હતી. રૈનાએ તેના સોશિયલ નેટવર્કિંગ સાઈટના એકાઉન્ટ પર એક તસવીર શેયર કરતાં તેના ટ્રેનર્સ, કોચીસ અને ઓફિસિઅલ્સનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતુ કે, એનસીએમાં દિવસોની સખત મહેનત બાદ હું આ ટેસ્ટમાં પાસ થયો છું. નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લેવા માટે હું ઉત્સુક રહુ છું. અહીના પડકારને કારણે હું મારુ શ્રેષ્ઠ પર્ફોમન્સ આપી શકું છુ.