News of Saturday, 22nd September 2018
સચિન તેંડુલકરે જાધવપુર વિશ્વ વિદ્યાલયની માનદ ડી,લિટ્ની ડિગ્રી લેવા કર્યો ઇન્કાર
આ પહેલા ઑક્સફોર્ડની માન્ય ડિગ્રી પણ ફગાવી ચૂક્યા હોવાનો સચિને કર્યો ઉલ્લેખ
મુંબઈ :માસ્ટર બ્લાસ્ટરના હુલામણા નામથી જાણીતા સચિન તેંડુલકરે પશ્ચિમ બંગાળની જાધવપુર વિશ્વવિદ્યાલયમાંથી ડૉકટરની ડિગ્રી લેવાનો ઈનકાર કર્યો છે.
જાધવપુર વિશ્વ વિદ્યાલયે સચિનને માનદ ડી.લિટની ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સચિને સન્માનપૂર્વક આ ડિગ્રીને લેવાનો ઈનકાર કર્યો હતો. સચિન તેંડુલકરે જાધવપુર વિશ્વવિદ્યાલયને એક ઈ-મેઈલ લખી પોતાના નિર્ણયની જાણ કરી હતી. પોતાના ઈ-મેઈલમાં લખ્યું કે, તેઓ નૈતિક રીતે આ ડિગ્રી લઈ શકે તેમ નથી. સચિને આ મેઈલમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે આ પહેલા ઑક્સફોર્ડની માન્ય ડિગ્રી પણ ફગાવી ચૂક્યા છે.
(9:35 pm IST)