ખેલ-જગત
News of Monday, 22nd April 2019

સ્લોઓવરરેટનેકારણે અશ્વિનને દંડ

પંજાબના કેપ્ટન રવિચન્દ્રન અશ્વિનને શનિવારે દિલ્હી સામે ધીમી ઓવર ગતિને કારણે ૧૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આઇપીએલના કોડ ઓફ કન્ડકટ પ્રમાણે અશ્વિને પહેલી વખત સ્લો ઓવર રેટનો ગુનો કર્યો છે એટલે તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ મેચમાં દિલ્હીએ પંજાબને પાંચ વિકેટથી પરાજય આપીને છઠ્ઠી જીત મેળવી હતી. આ સીઝનમાં અશ્વિન સ્લો ઓવર રેટ બદલ દંડ મેળવનાર ચોથો કેપ્ટન બન્યો હતો. એ પહેલાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને અજિંકય રહાણેને દંડ થઈ ચૂકયો છે.

(3:38 pm IST)