News of Friday, 22nd February 2019
વર્લ્ડ કપમાં પાક.ને બે પોઇન્ટ ન અપાય.....
સચિન તેંડુલકર - સુનિલ ગાવસ્કરનો મત
નવીદિલ્હી, તા. ૨૨ : મહાન ખેલાડી સચિન તેંડુલકરે આજે કહ્યું હતું કે, આગામી વિશ્વકપમાં પાકિસ્તાનની સામે નહીં રમીને તેને બે પોઇન્ટ આપી શકાય નહીં. કારણ કે, આના લીધે ક્રિકેટ મહાકુંભમાં ભારતના નક્કર હરીફ પાકિસ્તાનને સીધો ફાયદો થશે. સચિન તેંડુલકરે સુનિલ ગાવસ્કરના વિચારોને રજૂ કરતા કહ્યું છે કે, ભારત વિશ્વકપમાં ૧૬મી જૂનના દિવસે યોજાનારી મેચમાં રમવાના બદલે ખસી જાય તે જરૂરી છે. પુલવામા હુમલા બાદ ભારત આ મેચમાંથી ખસી જાય તેવી માંગ ઉઠી રહી છે. સચિનનું કહેવું છે કે, ભારત વિશ્વકપમાં હંમેશા પાકિસ્તાન સામે શાનદાર દેખાવ કરી શક્યું છે.
(7:34 pm IST)