ખેલ-જગત
News of Wednesday, 22nd January 2020

ન્યુઝીલેન્ડ ટૂર પહેલા ભારતને ઝટકો

ઇજાને લીધે ઇશાન્ત ટીમમાંથી છ અઠવાડિયાં માટે બહાર

નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ પહોંચેલી ઇન્ડિયન ટીમની શરૂઆત પહેલાં જ એક માઠા સમાચાર આવ્યા છે. ભારતનો અનુભવી બોલર ઇશાન્ત શર્મા ઇજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. અને ડોકટરે તેને છ અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપી છે. વિદર્ભ વિરૂધ્ધ રણજી મેચમાં ઇશાન્તને પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. તેને ગ્રેડ-૩ એન્કલ (ઘૂંટી) ટીયર છે. અને છ અઠવાડિયાં માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. વિદર્ભ વિરૂધ્ધની બીજી ઇનિંગની પાંચમી ઓવરમાં તેને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત ચાલી રહેલા ઇન્ડિયન પ્લેયરોમાં હવે ઇશાન્તનો પણ ઉમેરો થાયો છે. તેની પહેલાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન ઇજાગ્રસ્ત થયા હતા. આ માટે હજી ભારતીય ક્રિકેટ બોર્ડે કોઇ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

(3:28 pm IST)