ખેલ-જગત
News of Thursday, 21st November 2019

વેસ્ટ ઇન્ડિઝ સામે T -20 અને વનડે સીરીઝ માટે ટિમ ઇન્ડિયા જાહેર :રોહિત શર્માનો બંને ફોર્મેટમાં સમાવેશ

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરે શરૂ થશે.

 

મુંબઈ :વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 અને વન-ડે સીરીઝ માટે સિલેક્ટરોએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. બંન્ને સીરીઝ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન મળ્યું નથી. જ્યારે રોહિત શર્માને બંન્ને સીરીઝમાં ટીમમાં સામેલ કરાયો છે. પહેલા તેવી અટકળો હતી કે તેમને આરામ આપવામાં આવશે.

 બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા વધું એક ઘરેલું સીરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે સીરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરે શરૂ થશે. સિલેક્શન કમિટિએ ત્રણ મેચોની ટી20 અને વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમની ગુરુવારે કોલકત્તામાં જાહેરાત કરી છે.

T20 માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીશ પાંડે, ઋષભ પંત, શિવમ દૂબે, સુંદર વાશિંગટન, રવિંન્દ્ર જાડેજા, યજુવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર

વન-ડે માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીશ પાંડે, ઋષભ પંત, શિવમ દૂબે, કેદાર જાધવ, રવિંન્દ્ર જાડેજા, યજુવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે. જે બાદ 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ મેચોની વન-ડે સીરીઝ રમાશે.

(9:25 pm IST)